મોરબીના રવાપર ગામે 23 મીએ તુલસી વિવાહ

- text


મોરબી : મોરબીના રવાપર ગામે રામજી મંદિર તથા સમસ્ત ગામ દ્વારા તા.23ના રોજ તુલસી વિવાહ ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈના ઘરે થી તા .22ના રોજ રાત્રે શાલિગ્રામ ભગવાનનું  હાથી ઉપર વાજતે ગાજતે ફુલેકુ નીકળશે. જ્યારે તા.23ના રોજ  ભગવાન શાલિગ્રામની જાન રવાપર ગામેથી તુલસીજી ને પરણવા ખાખરેચી જશે અને જાનના વિધિવત સ્વાગત બાદ ભગવાન શાલિગ્રામના પટેલ સમાજવાડી ખાખરેચી ખાતે તુલસીજી સાથે ધામધૂમ થી લગ્ન કરાશે. ત્યારબાદ મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે. આ તુલસી વિવાહ પ્રસંગનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

 

- text