- text
મોરબી : તળાવ કૌભાંડમાં લાંચ લેવા મામલે હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને તેમના સાથીદાર વકીલને આજે પોલીસે જેલહવાલે કર્યા બાદ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા આગામી તા. ૨ જી નવેમ્બરે સુનાવણી મુકરર કરી હોવાનું ધારાસભ્યના વકીલ દિલીપભાઈ અગેચણિયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત વકીલ ભરત ગણેશિયાને વચગાળાની જમીન અરજી પણ આજે જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
- text
- text