મોરબીના પ્રૌઢનું ભાવનગર નજીક અજાણ્યા વાહનની હડફેટે મોત

- text


સારવાર અર્થે મોરબી પહોંચે તે પૂર્વે રસ્તામાં જ પ્રૌઢે દમ તોડ્યો

મોરબી : મોરબીના પ્રૌઢને ભાવનગર નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે તેઓને મોરબી સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. તે દરમિયાન તેઓનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલા અંજલિ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુભાઇ ઇસુભાઈ આચાર્ય (ઉ.વ.૫૧) ગઈકાલે ભાવનગર રોડ પર ઢસા ગામ નજીક ચાલીને જતા હતા. તે દરમિયાન અજાણ્યા વાહને તેઓને હડફેટે લીધા હતા.

- text

આ અકસ્માતમાં પ્રૌઢને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે મોરબી લઈ આવવામાં આવ્યા હતા. પરંતુ તે પૂર્વે પ્રૌઢનું મોત નીપજ્યું હતું. આ મામલે એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text