મોરબી જલારામ મંદીર દ્વારા પદયાત્રિકો માટે માનકુવા ખાતે તા.૫ થી ભવ્ય સેવા કેમ્પ

- text


મોરબી : મોરબી શહેરમા વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદીર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માં આશાપુરાના મઢે જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવા કેમ્પનુ આયોજન કરવામા આવ્યું છે. આ કેમ્પ ભુજ નખત્રણા હાઈ વે પર માનકૂવા મુકામે તા.૫-૧૦ થી ૯-૧૦ દરમિયાન યોજાશે.

- text

આ સેવા કેમ્પમા રહેવા, ન્હાવા, જમવા, ચા-પાણી-નાસ્તો, મેડીકલ સેવા સહીતની સેવાઓ પ્રદાન કરવામા આવશે. આ સેવા કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગ રાચ્છ, હીતેશ જાની, કાળુભાઈ પટેલ, ભાવીન ઘેલાણી, જીજ્ઞેશ પોપટ, સાગર જોબનપુત્રા, રાજેશભાઈ સોમૈયા, રાજુભાઈ ગણાત્રા, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ખંધેડીયા, નેહલભાઈ કોટક, વિપુલ પંડીત, નવિનભાઈ માણેક સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે. આ સેવા કેમ્પમા સહયોગ આપવા જોડાવા ઈચ્છુક ભક્તજનો એ ૯૦૯૯૬૦૦૦૮૧ અથવા ૯૮૨૫૦૮૨૪૬૮નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

- text