મોરબીના અગ્રણીઓએ સ્વ.અટલજીને શ્રધાંજલિ અર્પી

- text


મોરબી : મોરબીમાં આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને શ્રધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ અગ્રણીઓ, સંઘમાં કાર્યકર્તાઓ, ઉદ્યોગપતિઓ અને નગરજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વ. અટલજીને શ્રધાંજલિ પાઠવી હતી.

- text

આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા કલેકટર માકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જયંતિભાઈ કવાડિયા, કાંતિભાઈ અમૃતિયા, નકલંક ધામ બગથળાના મહંત દામજીભગત, ઉદ્યોગપતિઓ નિલેશભાઈ જેતપરિયા, મુકેશભાઈ ઉધરેજા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, જયુભા જાડેજા, મહિલા આગેવાન મંજુલાબેન દેત્રોજા તેમજ લાખાભાઇ જારીયા,પ્રદીપ વાળા, હિરેન પારેખ સહીત અને આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- text