વિનય ઇનટરનેશનલ સ્કૂલના છાત્રો દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે સાયકલ રેલી યોજાઈ 

- text


મોરબી : વિનય ઇનટરનેશનલ સ્કૂલ દ્વારા વિધાર્થીઓ માં શૈક્ષણિક સમજ સિવાય શારીરિક, માનસીક અને સામાજિક સમજ કેળવાય માટે તા. ૨૨-૮-૨૦૧૮ ના રોજ મોરબી ના બાપા સીતારામ ચોક થી વિનય ઇનટરનેશનલ સ્કૂલ સુધીની અંદાજીત ૨૦ કિલોમીટર લાંબી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ સાયકલ રેલી નો મુખ્ય ઉદેશ્ય બાળકો માં તથા સોસાયટી માં પર્યાવરણ ની જાળવણી, પેટ્રોલ પ્રદૂષણ અને સ્વાસ્થ્ય જતન જેવા આજ ના યુગ ની સમસ્યાઓ પ્રત્યે નો હકારાત્મકઅભિગમ કેળવવાનો અને જાગૃતિ ફેલાવવા નો હતો. આ સાયકલ રેલી ના વિનય ઇનટરનેશનલ સ્કૂલ ના ધોરણ ૬ થી ૧૦ ના આશરે ૧૦૦ જેવા વિધાર્થીઓ એ “પર્યાવરણ બચાવો” , “પ્રદૂષણ ઘટાડો”, “વૃક્ષો વાવો, વરસાદ લાવો”, “મારું મોરબી, સ્વચ્છ મોરબી” જેવા નારા ઓ સાથે રેલી માં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાયકલ રેલી માં વિધાર્થીઓ ઉપરાંત સ્કૂલ ના શિક્ષકો , આચાર્ય અને ટ્રસ્ટી પણ જોડાયા હતા.

- text