મોરબી : એલઇ કોલેજના યાદવ એન્જીયરીંગ સોશિયલ ગ્રુપ દ્વારા સોમવારે રક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં એલઇ કોલેજના યાદવ એન્જીનિયરિંગ સોશિયલ ગ્રુપ દ્વારા અજ્ઞેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના એલઇ કોલેજના યાદવ એન્જીયરિંગ સોશિયલ ગ્રુપ દ્વારા સામાકાંઠે એલઇ કોલેજ રોડ પર આવેલા અજ્ઞેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ૬ ઓગસ્ટને સોમવારના રોજ સવારે ૮:૩૦ કલાકે યોજાશે. કેમ્પને સફળ બનાવવા નરસંગભાઈ હૂંબલ (મો.નં. ૯૯૨૫૨ ૦૯૧૨૭), વિપુલ બાલદણીયા, મનોજ કરંગીયા અને ભાર્ગવ કલસરિયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

- text