વાંકાનેર આઈટીઆઈના પટાંગણમાં ૫૦૦ વૃક્ષોનું વાવેતર

- text


વાંકાનેર : પર્યાવરણની જાળવણી માટે વાંકાનેરના આઈ.ટી.આઈના પટાંગણમાં આચાર્ય બીનાબેન પરમારના સહયોગ થી ૫૦૦ વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું. આ વૃક્ષારોપણ કાર્યક્રમ સ્વખર્ચે કરવામાં આવ્યો હતો.

વાંકાનેર આઈ.ટી.આઈ.માં આચાર્ય બીનાબેન આચાર્યના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૫૦૦ વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં આઈ,ટી,આઈ ના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ સેવા કાર્ય ત્યાંના શિક્ષકો દ્વારા પોતાના સ્વખર્ચે કરવામાં આવ્યુ હતું. તેમજ વાવેલ વૃક્ષોને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા દરરોજ પાણી પાઈને જતન કરવામાં આવશે તેવો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો. આઈ.ટી.આઈના શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ નુ ભગીરથ કાર્ય ૨૦૧૪ થી દર વર્ષે કરવામાં આવે છે.

- text

- text