મોરબી પ્રાંત અધિકારી શિવરાજભાઈ ખાચરનો આજે જન્મદિવસ

- text


મોરબી : અલગ અંદાજથી યશસ્વી અને પ્રજાભિમુખ કામગીરી કરતા મોરબીના પ્રાંત અધિકારી શિવરાજભાઈ ખાચરનો આજે જન્મ દિવસ છે.

૧૯૭૨ માં ૨૦ જૂને બોટાદ જિલ્લાના ગઢડિયા ગામે જીવાભાઈ ખાચરને ત્યાં જન્મેલા શિવરાજભાઈ બચપણથી જ અભ્યાસમાં ખુબજ હોશિયાર હોવાની સાથે સાથે આગળના અભ્યાસ બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી જીપીએસસી પાસ કરી વર્ષ ૨૦૦૫ માં ડાંગ જિલ્લામાં મામલતદાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને બાદમાં જૂનાગઢ, વિસાવદર, રાજકોટ અને જામનગરમાં મામલતદાર તરીકે સુંદર પ્રજાલક્ષી કામગીરી કરી ૨૦૧૩ માં ડેપ્યુટી કલેકટર તરીકે પ્રમોશન મેળવી જામનગરમાં લાંબા સમય સુધી ફરજ બજાવી ખૂબ જ લોકચાહના મેળવી હતી.

- text

ડેપ્યુટી કલેકટર શિવરાજભાઈ ખાચરની ત્યાર બાદ વર્ષ ૨૦૧૭ માં મોરબી જિલ્લામાં બદલી થતા તેઓ ૧૦ માસ કરતા વધુ સમયથી મોરબી પ્રાંત અધિકારી તરીકે ખૂબ જ અઘરી કહી શકાય તેવી પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે. 

- text