- text
મોરબી : મોરબીમાં નવલખી ફાટકથી આરટીઓ કચેરી તરફ જવાના રોડ પર ટ્રકે હડફેટે લેતા એકટીવાસવાર યુવાનનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામના વતની અને હાલ મોરબી વ્યાસ સમાજની વાડીમાં રહેતા સંજય ભાનુભાઈ વ્યાસ (ઊ.વ.૨૫) નામના યુવાન પોતાનું એકટીવા નં જીજે ૩ એજે ૧૬૮૬ લઈને આરટીઓ કચેરી તરફ જતા હોય ત્યારે ટ્રક નં જીજે ૧૦ એક્સ ૯૧૭૫ સાથે એકટીવા અથડાતા યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
- text
- text