ટંકારામાં વિદ્યાર્થીઓ માટે ૨૪મીએ જય વસાવડાનું વક્તવ્ય

- text


જાણીતા વક્તા જય વસાવડા ધો. ૧૦ પછી શું કરવુ તે અંગે માર્ગદર્શન અને મોટીવેશનલ સ્પીચ આપશે

ટંકારા : ટંકારાની આર્ય વિદ્યાલયમ ખાતે આગામી તા. ૨૪ ને ગુરુવારના રોજ જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવા આવ્યું છે. જેમાં જાણીતા વક્તા જય વસાવડા ધો. ૧૦ પછી શું કરવું તે વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપશે સાથે વિદ્યાર્થીઓને મોટીવેટ પણ કરશે.

સત્યાર્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૪ ને ગુરુવારના રોજ સવારે ૯ કલાકે ટંકારાની આર્ય વિદ્યાલયમમાં શૈક્ષણિક માર્ગદર્શન અને મોટીવેશનલ સેમીનારનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં જાણીતા વક્તા જય વસાવડા વિદ્યાર્થીઓને ધો. ૧૦ પછી શું કરવું તે વિશે મહત્વનું માર્ગદર્શન આપશે આ સાથે તેઓ વિદ્યાર્થીઓને મોટીવેટ પણ કરશે.

- text

આ સેમીનારમાં ભાગ લેવા માટે અગાઉ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે વોટ્સએપ નં. ૯૫૧૨૪ ૦૦૦૩૩ અથવા ૯૫૧૨૪ ૦૦૦૩૪ ઉપર જાણ કરવાની રહેશે. સેમિનારમાં હાજરી આપનાર તમામ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન ચાર્ટ આપવામાં આવશે. મોરબી અને વાંકાનેરના વિદ્યાર્થીઓને સેમિનારમાં આવવા માટે બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

- text