મોરબીના ઉમિયા પાર્ટી પ્લોટમાં ગુરુવારે રામામંડળ

- text


રાસંગપરનું પ્રખ્યાત આઈ શ્રી ખોડિયાર રામામંડળ બાલ રામદેવ અને વિરમદેવનું અદભુત આખ્યાન રજૂ કરશે

મોરબી : મોરબીના ઉમાં પાર્ટી પ્લોટ ખાતે આગામી તા.૧૭ ને ગુરુવારના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાસંગપરનું આઈ શ્રી ખોડિયાર રામામંડળ બાલ રામદેવ અને વિરમદેવનું અદભુત આખ્યાન રજૂ કરશે.

ઉમા પાર્ટી પ્લોટ, રાજકોટ હાઇવે, શકત શનાળા હ્યુનડાઈના શો રૂમ સામે, મોરબી ખાતે આગામી તા.૧૭ ને ગુરુવારના રોજ રામામંડળ યોજાશે. રાસંગપરનું પ્રખ્યાત આઈ શ્રી ખોડિયાર રામામંડળ બાલ રામદેવ અને વિરમદેવની અદભુત કલા તથા સંગીતથી ભરપૂર આખ્યાન રજૂ કરશે.

- text

આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજક વિશાલ સ્ટુડિયો, મગનભાઈ બાવરવા, દુર્લભજીભાઈ બાવરવા, સુરેશભાઈ બાવરવા અને મહેશભાઈ બાવરવા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text