- text
ઉનાળાની સીઝનમાં રાહદારીઓ માટે દરરોજ ઠંડુ પાણી અને છાસ વિતરણ
મોરબી : મોરબીના વસંત પ્લોટ મિત્ર મંડળ દ્વારા અહીંના રવાપર રોડ પર ચકીયા હનુંનામ મંદિર સામે રાહદારીઓને ગરમીમાં રાહત આપવા ઠંડી લચ્છીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વસંતપ્લોટ મિત્ર મંડળ દ્વારા ઉનાળાના પ્રારંભથી દરરોજ રાહદારીઓને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવે છે અને એકતરા છાસ, સરબત અને ઠંડા પીણાનું પણ વિતરણ કરવામાં આવે છે.
- text
જેમાં આજે વસંતપ્લોટ મિત્ર મંડળના સેવાભાવી રેમશભાઈ અને અન્ય સભ્ય દ્વારા રવાપર રોડ પર ચકીયા હનુમાન મંદિર ખાતે ૧૦૦૦ થી વધુ રાહદારીઓને ઠંડી લચ્છી પીવડાવી તૃષ્ણા સંતોષી હતી.
- text