રાજકોટ રેલ્વે ડીઆરએમ નિનાવેના હસ્તે મોરબી ટીટીઈ પંડ્યાને બેસ્ટ વર્કીંગ એવોર્ડ

- text


મોરબી : મોરબીમા રેલ્વેના ડીઆરએમ પી.બી.નિનાવે દ્વારા ટીટીઈ નિરંજન પંડ્યાને સૌથી વધુ કેસ કરી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ બેસ્ટ વર્કીંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

- text

ટીટીઈ નિરંજન પંડ્યા સહીત ની ટીમ દ્વારા કુલ ૨૧,૨૭૨ કેસો મા દોઢ કરોડ જેટલી જંગી રકમ રેલ્વે ની તીજોરી મા જમા કરવામા આવી હતી જેમા ટીકીટ વગર ના ૧૦,૯૬૧ કેસો , હાયર ક્લાસ ટીકીટ ના ૯૫૬૧ કેસો, કેસો ,ઓવર ટ્રાવેલીંગના ૪ કેસ,અનબુકીંગ લગેજના ૭૪૬ કેસો મળી કુલ  ૨૧૨૭૨ કેસોમાં કુલ દોઢ કરોડ રૂપીયાના દંડની વસુલાત કરવામાં આવી હતી. આ શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમ પી.બી. નીનાવેના હસ્તે નિરંજન પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text