મોરબીમાં રવિવારે વિનામૂલ્યે વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમ

- text


આનાપાન ધ્યાન, પ્રશ્નોતરી, સીડી તથા પુસ્તકનું વેચાણ સહિતના સેશનનું આયોજન

મોરબી : મોરબીના સમય ગેઇટ પાસે આવેલા શિવ હોલ ખાતે આગામી તા.૬ ને રવિવારના રોજ વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ વર્ષથી ઉપરના સાધકો જોડાઈ શકશે.

મોરબીના શનાળા રોડ પર સમય ગેટ પાસે આવેલ શિવ હોલમાં આગામી તા.૬ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ સુધી વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમ યોજાશે. જેમાં ૯ કલાકે રજીસ્ટ્રેશન, ૯:૩૦ એ આનાપાન ધ્યાન પ્રશિક્ષણ, ૧૦એ વિપશ્યના ધ્યાન પ્રવચન, ૧૧એ પ્રશ્નોતરી તથા અનુભવો ત્યારબાદ ૧૧:૪૫ થી ૧૨ આગામી શિબિરનું રજીસ્ટ્રેશન, સીડી તથા પુસ્તકનું વેચાણ કરવામા આવશે.

- text

પ્રવર્તમાન જીવન શૈલીમાં પ્રત્યેક માણસ સતત તણાવ અને માનસિક બેચેની અનુભવે છે. દિવસે ને દિવસે માણસનું જીવન યાંત્રિક મશીન જેવું બની રહે છે. ત્યારે માનસિક તણાવથી મુક્ત થવા અને સ્વસ્થ માનસિક જીવન શૈલી માટે મોરબીના આંગણે વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમનો લાભ લેવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમમાં ૧૮ વર્ષથી ઉપરના સાધકો જોડાઈ શકશે.

- text