વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે મોરબીમા ગુરુવારે સાયકલ રેલી

- text


નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા સ્વામિનારાયણ મંદિરે થી કરાવાશે પ્રસ્થાન

મોરબી : આગામી ગુરુવારે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે મોરબીમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૭ કલાકે નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા સ્વામીનારાયણ મંદિર પાસેથી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવશે.

સ્વામિનારાયણ મંદિરે થી શરૂ થયેલી આ સાયકલ રેલી રાજમાર્ગો પર ફરીને સવારે ૮:૪૫ ખાતે નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં પાસે પુર્ણાહુતી પામશે. આ સાયકલ રેલી થકી પ્રદુષણ અટકાવો ,પયાઁવરણ જાળવો, પાણી બચાવો, પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવો , પ્રકૃતિનું જતન કરો, તંદુરસ્તી જાળવો વગેરેનો સંદેશો જન જન સુધી પહોંચાડવામાં આવશે.

- text

સાયકલ રેલીમાં કોઇ પણ વ્યક્તિ જોડાઇ શકે છે. અને સાયકલ રેલીમાં પધારનાર સાયકલ વીર ક્યા ગૃપમાં છે તે ગૃપનું નામ મો. નં. લખી મોકલાવવાનું રહેશે. ગૃપમાં જોડાયેલ નથી તેઓએ મો.નં. ૯૮૨૫૩ ૨૯૭૨૨ ઉપર નામ હોદો લખીને મોકલવાનું રહેશે.

- text