વાંકાનેર નજીક દીપડો દેખા દેતા લોકોમાં ગભરાટ : વન વિભાગે પાંજરું ગોઠવ્યું

- text


મોરબી : વાંકાનેર નજીક આવેલ હોલ માતા મંદિરની જગ્યા આસપાસ દીપડાએ દેખા દેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે, જો કે દીપડાને પાંજરે પૂરવા વન વિભાગ હરકતમાં આવ્યું છે અને પાંજરું ગોઠવ્યું છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર નજીક આવેલ હોલ માતાના મંદિર નજીકના વિસ્તારમાં દીપડાએ દેખા દેતા ગ્રામ્ય પ્રજાજનોમાં ભયનું લખલખું વ્યાપી ગયુ છે અને દીપડા અંગે વેન વિભાગને જાણ કરવામાં આવતા હાલ પાંજરું ગોઠવવામાં આવ્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે, પંદરેક દિવસ અગાઉ વાંકાનેરના છેવડાના વિસ્તારમાં દીપડા જેવા રાની પશુએ છ બકરા ફાડી ખાધા હતા અને ત્યાર બાદ આજે હોલમાતા વિસ્તારમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- text