મોરબી અને હળવદમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વેલનાથ બાપુની નિકળી ભવ્ય શોભાયાત્રા

- text


વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે શહેરમાં વાજતે ગાજતે કરાઈ ઉજવણી

મોરબી , હળવદ : મોરબી અને હળવદમાં ઠાકોર સમાજ દ્વારા વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વાજતે ગાજતે ભવ્યાતિભવ્ય રેલીને પ્રસ્થાન કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા.

આજરોજ શનિવારે વેલનાથ બાપુની જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા મોરબી અને હળવદમાં ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં મોરબીમાં સ્ટેશન રોડ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જે મોરબીના મુખ્ય માર્ગો પાર ફરી સામાકાંઠે સમાજની વાડી ખાતે પોહચી ગતિ જ્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

જયારે હળવદ શહેરમાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વેલનાથ બાપુની શોભાયાત્રા યોજાઈ હતી. જે શોભાયાત્રા હળવદના મુખ્ય માર્ગો પર નિકળી હતી. જેમાં ઠાકોર સમાજ યુવાનો તેમજ રાજકીય આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તદ્ઉપરાંત હળવદ-ધ્રાંગધ્રા મત વિસ્તારના ધારાસભ્ય પરસોતમ સાબરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જય વેલનાથ યુવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજેના તાલે વાજતે ગાજતે આ શોભાયાત્રાનું પ્રસ્થાન વિનોબા ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવી હતી અને સરા ચોકડીએ આ શોભાયાત્રા સંપન્ન થઈ હતી. જય વેલનાથ બાપુની જન્મ જયંતિના ભાગરૂપે ઠાકોર સમાજ દ્વારા ઉજવણી કરાઈ હતી. આ તકે ઠાકોર સમાજના રમેશભાઇ ઠાકોર, ચતુરભાઈ ચરમારી, ભરતભાઇ ગણેશિયા, નિલેશ ઠાકોર, રસીક પરમાર સહિતના શોભાયાત્રામાં જોડાયા હતાં.

- text