કાલે મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

- text


મોરબી: મોરબી ખાતે આવતીકાલે બાર એસો ઓફ ગુજરાતની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જેથી આવતી કાલે મોરબીના તમામ વકીલો કોર્ટ કાર્યવાહી થી અલિપ્ત રહેવાના છે.

આવતીકાલે બાર એસો ઓફ ગુજરાતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં મોરબી પણ મતદાન મથક છે. સવારે ૧૦ કલાકથી મતદાન શરૂ કરવામાં આવશે. મોરબી મતદાન મથક તરીકે હોય , મોરબીના તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે. આ બાબતે મોરબી બાર એસોના વકીલોએ નોંધ લેવા મોરબી બાર એસોના પ્રમુખ જીતુભા જાડેજા તથા ચૂંટણી અધિકારી ભાવેશ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

- text

- text