મોરબી : લોહાણા સમાજના યુવક – યુવતીઓ માટે પરિચય મેળો

- text


મોરબી : આગામી ૨૦ મે ના રોજ ગોંડલ મુકામે લોહાણા સમાજના યુવક – યુવતીઓ માટે પરિચય મેળાનું આયોજન કરાયું છે જેમાં ભાગ લેવા મોરબી લોહાણા સમાજ દ્વારા અનુરોધ કરાયો છે.

જય રઘુવીર વેવિશાળ કેન્દ્ર- સુરેન્દ્રનગર દ્વારા આગામી તા-૨૦-૫-૨૦૧૮ રવિવાર ના રોજ ગોંડલ મુકામે શ્રી રઘુવંશી સોસિયલ ગૃપ ગોંડલ તથા રઘુવંશી વેવિશાળ માહીતીકેન્દ્ર- ગોંડલ ના સહયોગ થી લોહાણા સમાજ યુવક યુવતિઓ માટે પરિચય મેળા નુ આયોજન કરેલ છે.જેના ફોર્મ મેળવવા તેમજ જમા કરાવવા મોરબી લોહાણા સમાજ ના લગ્ન ઉત્સુક યુવક યુવતિઓ એ મોરબી લોહાણા મહાજન માનદ્ મંત્રી નરેન્દ્ર ભાઈ રાચ્છ-(૯૪૨૮૨૭૭૬૯૪) નો સંપર્ક કરવો.

- text

વધુમાં મોરબીમાં ફોર્મ મેળવવા તેમજ જમા કરાવવા માટે લોહાણા મહાજન વાડી- વિભાગ-૨, સુધારા શેરી, મોરબી, શ્રી જલારામ પ્રાર્થના મંદીર- અયોધ્યાપુરી રોડ, મોરબી, ખાતે સંપર્ક કરવા લોહાણા મહાજન મોરબી કન્વીનર નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે.

 

- text