મોરબીમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં ટાયર સળગાવી હાઈવે પર ચક્કાજામ

- text


પોલીસે સ્થળ પર પોહચી મામલો થાળે પાડ્યો

મોરબી : મોરબી કરણી સેના અને ક્ષત્રિય યુવાનો દ્વારા કંડલા હાઈ વે પર ટીંબડી મહેન્દ્રનગર વચ્ચે ટાયર સળગાવી પદ્માવતી ફિલ્મ નૉ વિરોધ કરવામા આવ્યો હતો.

- text

જાણવા મળ્યા મુજબ ક્ષત્રિય સમાજ દ્વારા ફિલ્મ પદ્માવત રિલીઝ નહી કરવાની માંગ સાથે ઠેર- ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે કરણીસેના દ્વારા ટીમ્બડી અને મહેન્દ્રનગર વચ્ચે ટાયરો સળગાવી હાઇવે પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે સમયસર સ્થળ પર પોહચી મામલો થાળે પાડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

- text