વાંકાનેરમાં દોઢ વર્ષના માસુમ બાળકનું અપહરણ

- text


નવાપરા વિસ્તારમાં રહેતા પરિવારના બાળકને અજાણ્યા શખ્સો ઉઠાવી જતા ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના દોઢ વર્ષના બાળકનું અજાણ્યા શખ્સો અપહરણ કરી નાસી છૂટતા સનસનાટી મચી જવા પામી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરે વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઇ રમેશભાઈ પઢીયાર ઉ.૩૬ ના પુત્ર મયુર ઉ. દોઢનું તેમના ઘર પાસેથી કોઈ અજાણ્યા ઈસમો અપહરણ કરી નાસી છૂટતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

આ ચોકવનારી ઘટના મામલે વાંકાનેર સીટી પોલીસ મથકના પીએસઆઇ એચ.એન.રાઠોડે આઇપીસી કલમ ૩૬૫ સહિતની કલમો મુજબ અજાણ્યા અપહરણકર્તાઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુમાં અપહરણની ઘટના બાદ પોલીસે નાકાબંધી કરી સમગ્ર રાજ્યમાં તાત્કાલિક મેસેજ પાસ કર્યા હતા અને પોલીસ તેમજ મયુરના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી જો કે હજુ સુધી અપહૃત મયુરનો કોઈ પતો મળ્યો નથી.

- text