મોરબીમાં ૬, ટંકારામાં બે અને વાંકાનેરમાં ત્રણ ફોર્મ રદ્દ

- text


વાંકાનેર બેઠકમાં એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

મોરબી:આગામી ૯ ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે ઉમેદવારીપત્રની ચકાસણી કરવામાં આવતા ત્રણેય બેઠકોમાંથી કુલ ૧૧ ઉમેદવારી ફોર્મ રદ થયા હતા જ્યારે વાંકાનેર બેઠકમાં એક ઉમેદવારે ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ગઈકાલે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે રિટર્નીગ ઓફિસર સમક્ષ ઉમેદવારીપત્રના ઢગલા થયા બાદ આજે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવતા ત્રણ બેઠકમાં કુલ ૧૧ ફોર્મ રદ્દ થયા હતા.

વિધાનસભા બેઠકદીઠ જોઈએ તો મોરબી માળીયા બેઠકમાં ૨૧ પૈકી ૬ ઉમેદવારીપત્ર રદ થયા હતા જેમાં ડમી અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

- text

ટંકારા બેઠકમાં સ્થિતિ જોઈએ તો કુલ ૧૬ ઉમેદવાર મેદાને હતા જે પૈકી બે અપક્ષ ઉમેદવારોના ઉમેદવારીપત્ર ટેક્નિકલ કારણોસર અને દરખાસ્ત કરનારની શી ન હોવાથી રદ્દ થયા હતા.

જ્યારે સૌથી વધુ ઉમેદવારો ધરાવતી વાંકાનેર બેઠકમાં ત્રણ ડમી ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા જ્યારે પથુભાઈ મંગાભાઈ સારોલા નામના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હોવી આ બેઠક માટે ૨૦ ઉમેદવારો મેદાને રહ્યા છે.

- text