મોરબીમાં એનિમલ હેલ્પ લાઈન તથા બર્ડ શેલ્ટરનો શુભારંભ

- text


મોરબી:આજરોજ નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે મંગલમય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દૌરા એનિમલ હેલ્પ લાઈન હરતું ફરતું દવાખાનું મોરબીને અર્પણ કરવાનો અને બર્ડ સેન્ટર  શરૂ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ટંકારા સુધી અને સમગ્ર મોરબીમાં જ્યાં પણ બિનવારસી પશુ જેવા કે ગાય,બળદ,ભેંસ, જેવા તમામ પશુ,પક્ષી,પ્રાણી વગેરે અબોલ જીવોની આંતરડી ઠારવા તથા બીમાર અને અકસ્માતે ઘાયલ અબોલ જીવોને સમયસર વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે માનવ માટે તો ૧૦૮ ની સુવિધા છે આવી જ રીતે અબોલ જીવો માટે આ ૨૪ કલાક ચાલતી સુવિધાની શરૂઆત મોરબી ખાતે કરવામાં આવી છે,મકર સંક્રાંતિ ના તહેવાર વખતે અસંખ્ય પક્ષીઓ ઘાયલ થાય છે ત્યારે આ હેલ્પ લાઈન નં.૭૦૧૬૨ ૫૭૦૭૦ ખડે પગે રહેશે અને પક્ષીની સેવા સુષુશ્રા કરશે જરૂર પડ્યે આવા પક્ષીઓને શેલ્ટરમાં દાખલ કારવામાં આવશે.

- text

આ સેવા મોરબીમાં ચાલુ કરવામાં કરુણા ફાઉન્ડેશન રાજકોટ વાળા મિલનભાઈ ખેતાણી, ડો.એમ.બી.સીમરિયા,ડો.ટી.કે. સંઘાણી,ડો.ધનજીભાઈ ગામી તેમેજ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ જામનગર વગેરે સહોયગ પૂરો પાડ્યો હતો.

મંગલમય એજ્યુ.ટ્રસ્ટના પ્રમુખ મુળજીભાઈ લિખિયા અને ઉપ પ્રમુખ ડી.ડી.સરવૈયાએ કાર્યક્રમને સફળ બનાવવા ખુબજ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન દિનેશભાઇ વડસોલાએ સંભાળી હતી.

- text