મોરબીના ભડિયાદ કાંટા નજીક યુવાનની નિર્મમ હત્યા

- text


મોરબી:ગત અઠવાડીયાથી મોરબી શરૂ થયેલ હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે આજે રાત્રે નવા વાગ્યાના અરસામાં ભડિયાદ કાંટા નજીક વણકર યુવાનની નિર્મમ હત્યા થતા સપરમાં દિવસોમાં વણકર પરિવારમાં શોક ફેલાયો છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના ભડીયાદ કાંટા પાસે પ્રકાશ દેવજીભાઇ વણોલ નામના યુવાનની છરીના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ ભાગી ગયા છે.
જો કે હત્યા અંગેનું કારણ હજુ બહાર આવ્યું નથી,આ મામલે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

- text