મોરબી માં ડીવાયએસપી કે.બી.ઝાલા નો સેવા નિવૃત્તિ સમારોહ યોજાયો

- text


મોરબીના ડીવાયએસપી કે.બી.ઝાલા એ 36 વર્ષ સુધી કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓ સેવા નિવૃત થતા તાજેતરમાં તેમનો સેવા નિવૃતિ સમારોહ યોજાયો હતો .જેમાં કલેક્ટર આઈ.કે.પટેલ ,એસ.પી જયપાલ સિંહ રાઠોડ, જિલ્લા ના તમામ ઉચ્ચ અધિકારીઓ તથા અલગ અલગ ક્ષેત્રના રાજકીય, સામાજિક અગ્રણીઓ હાજર રહી તેમની કાર્ય પ્રલાણી ને બિરદાવી ને માનભેર વિદાય આપવાની સાથે નિવૃત્તિની શુભકામના આપી હતી .આ તકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં લોક સાહિત્યકાર ગોવિંદભાઇ પાલીયા ,અનુભા ગઢવી , હાસ્ય કલાકાર હકાભા ગઢવી જેવા નામી કલાકારો એ ભારે રંગત જમાવી હતી

- text