- text
રાતીદેવડી થી મજુરી કામે કારખાને જતી સાત છોકરી ને નાના મોટી ઈજા : ડો. સાહેબ ને એટેક આવ્યો હતો અને કાર બેકાબુ બની અકસ્માત સર્જાયો હોવાનું ચસ્મદીદો જણાવી રહ્યા છે : ધાયલોને વાકાનેર હોસ્પિટલમાં દાખલ કર્યો છે
બનાવ અંગે સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ટંકારા ના લજાઈ થી હડમતિયા રોડ ઉપર આજે સવારે નવેક વાગ્યાના સુમારે કાર અને ઈકો વાન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા હડમતિયા ગામને સ્વસ્થ શરીર ની સંજીવની બુટ્ટી આપનાર વિરપર ના ડો. કાસુન્દા નિત્ય ક્રમ પ્રમાણે તેની કાર નં GJ 03 FD 8057 લઈ દવાખાને જતા હતા ત્યારે ચાલુ ગાડી મા એટેક આવતા કાર બે કાબુ બની રાતીદેવડી થી મજુરી કામ માટે લજાઈ આવતી યુવતી ભરેલ ઈકો સાથે ધડાકાભેર અથડાતા નાની મોટી ઈજા થઈ હતી જેને વાકાનેર હોસ્પિટલમાં ખસેડાયા છે તેવુ સુત્રો જણાવે છે. આ અકસ્માતમાં ડો.પરષોત્તમભાઇ આંબાભાઈ કાસુન્દ્રાનું મોત નિપજયું હતું.
અકસ્માત બાદ વટેમાર્ગુ તાત્કાલિક પહોચી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી ટંકારા ના પાયલોટ રાજુ દુબરીયા પહોચ્યા હતા ત્યારે કોઈ પાર્ઈવેટ વહાને ધાયલ ને લઈને જતા રહા નુ ચસ્મદીદો એ જણાવ્યું હતું.
- text