મોરબી જિલ્લામાં 3945 લોકોને રૂ.32 લાખ કેશડોલ્સ પેટે ચુકવાયા

- text


મોરબી : મોરબી,માળીયા ટંકારામાં પૂરની પરિસ્થિતિ બાદ કુલ 3945 લોકોને કેશડોલ્સ રૂપે રૂપિયા 32 લાખ ચૂકવી દેવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું.

- text

મોરબી જિલ્લામાં પૂરની પરિસ્થિતિમાં લોકોને ત્વરિત રાહત બચાવની કામગીરી કરવાની સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 3945 લોકોને કેશડોલ્સ સહાય પેટે 32 લાખ ચૂકવી આપ્યા છે.
વધુમાં જિલ્લા કલેક્ટર શ્રી પટેલે જણાવ્યું હતું કે હજુ કેશડોલ્સ સહાય પેટે 40% રકમ જ ચુકવાઈ છે ટૂંક સમયમાં બાકી રહેતી 60% રકમ ચૂકવી દેવાશે
દરમિયાન બેન્ક ખાતા ન હોવાથી અનેક ગરીબ કુટુંબોને સહાય મળવામાં તકલીફ પડતી હોય જિલ્લા કલેક્ટરશ્રી ની સૂચના બાદ કેમ્પ યોજી ખાતા પણ ખોલવામાં આવી રહ્યા હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.

 

- text