મોરબીમાં પરસોત્તમ રૂપાલાના પ્રવાસને લઇ ક્ષત્રિય સમાજના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા

- text


મોરબી: કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદનને લઇ ઠેર ઠેર ક્ષત્રિય રાજપૂત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ માહોલ વચ્ચે તારીખ 15 એપ્રિલના આજરોજ પરસોત્તમ રૂપાલા પ્રચારાર્થે મોરબીમાં મહારેલી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેને લઇને આજે મોરબીમાં ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આગેવાનોને પોલીસ દ્વારા વહેલી સવારથી જ નજર કેદ કરવામાં આવ્યા છે. આ માગે કરણી સેનાએ જણાવ્યું હતું કે સરમુખત્યારની જેમ ભાજપના ઇશારે પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને મોરબીના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા સખત શબ્દોમાં વખોડવામાં આવે છે.

- text

- text