મોરબીમાં લાપતા બનેલા યુવાનનો કેનાલમાંથી મૃતદેહ મળ્યો

- text


મોરબી : મોરબી ઉમિયા સર્કલ પાસેની કેનાલમાં એક પુરુષનો મૃતદેહ હોવાની જાણ જાગૃત નાગરિકે ટ્રાફિક પોલીસને કરતા ફાયરની ટીમ દ્વારા કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ઉમિયા સર્કલ નજીક કેનાલમાં લાશ પડી હોવાની જાણ થતાં ફાયર ટીમે લાશ બહાર કાઢતા મૃતદેહની ઓળખ થઈ હતું અને મૃતક અરુણભાઈ દયાળજીભાઈ લખતરિયા (ઉં.વ 35) હોવાનું બહાર આવ્યું છે. મૃતક 14 એપ્રિલના રોજ સવારે કામે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા હતા.હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

- text

- text