મોરબીમાં ડો. બાબાસાહેબની જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

- text


મોરબી : આજરોજ 14 એપ્રિલ એટલે ભારતનાં બંધારણના ઘડવૈયા, ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે આજરોજ મોરબીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

- text

ડો. બાબાસાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતી નિમિત્તે સમસ્ત મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મોરબીમાં આજે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. ડો. બાબાસાહેબની યાદમાં વિવિધ પ્રતિકૃતિ સાથે ખૂબ જ મોટી જનમેદની સાથે આ શોભાયાત્રા મોરબીના માર્ગો પર ફરી હતી. આ પ્રસંગે ડો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં 4 હજાર જેટલાં લોકો જોડાયા હતા અને ડો. બાબાસાહેબની જન્મજયંતીની ઉજવણી કરી હતી.

- text