થાનગઢના જોગ આશ્રમે તા.19મીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

- text


મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલ જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ દ્વારા તારીખ 19,20,21 શુક્રવારથી રવિવાર સુધી નૂતન મંદિરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

- text

જોગ આશ્રમ ગુરુ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુ (જોગ ડુંગરીવાળા બાપુ) ના સમાધિ સ્થળમાં નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સાધુ, સંત-મહંત તેમજ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં જોગ ધ્યાનપૂરા આશ્રમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં સૌ ભકતજનોને આ દિવ્ય મહોત્સવને માણવા તેમજ યજ્ઞ નારાયણના દર્શન, મહાપ્રસાદનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ શાસ્ત્રી કૌશિકભાઈ અમંતરાય ત્રિવેદી (રાજકોટવાળા) દ્વારા કર્મકાંડ વિશારદ, જયોતિષાચાર્ય, ભાગવતભુષણ દ્વારા વિધીવિધાન પૂર્વક સંપન્ન થશે.

- text