Morbi: સાર્થક વિદ્યામંદિરમાં આંબેડકર જયંતિની ઉજવણી કરાઇ

- text


મોરબી: શહેરમાં આવેલા સાર્થક વિદ્યામંદિર ખાતે 13 એપ્રિલ આજરોજ બાબા આંબેડકર સાહેબની 133 મી જન્મ જયંતીના ઉપલક્ષે પ્રેરણા રૂપ ઉજવણી કરવામાં આવી હતી. બાબા સાહેબના જીવન ચરિત્ર ઉપર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા વક્તવ્ય, નાટક, ગીત રજૂ કરવામાં આવ્યા હતા.

- text

શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ દ્વારા બાબા સાહેબના જીવન ઉપર લખાયેલું રાષ્ટ્રપુરુષ ડોક્ટર આંબેડકર ( કિશોર મકવાણા લેખિત) પુસ્તકનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન મયંક રાધનપુરા તેમજ વિવેક શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ સામાજિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ઉપરાંત કાર્યક્રમના અંતે મતદાન જાગૃતિનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

- text