મોરબીના ધારાવારા હનુમાનજી મંદિરે તા.15મીએ સંતવાણી યોજાશે

- text


ધારાવારા હનુમાનજી મંદિરના પાટોત્સવ મહોત્સવ નિમિત્તે આયોજન

મોરબી : મોરબીના ઉમિયાનગર સ્થિત ધારાવારા હનુમાનજીના મંદિરના પાટોત્સવ પ્રસંગે આગામી તારીખ 15 એપ્રિલ ને સોમવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

અગામી તા.15 એપ્રિલ ને સોમવારના રોજ રાત્રે 9-30 કલાકે સમસ્ત ઉમિયાનગર ગામ મોરબી-2 દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજનિક નૈતિક વ્યાસ છોટે રામદાસ, સાહિત્યકાર અનોપસિંહ વાઘેલા, ભજનિક નટુભાઈ પ્રજાપતિ, ભજનિક મેહુલ પ્રજાપતિ અને ભજનિક જયદિપ સુરેલા ભજન અને સાહિત્યરસ પીરસશે. તારીખ 16 એપ્રિલના રોજ સવારે 7-30 કલાકે મારૂતિ હવન યોજાશે અને સાંજે 6-30 કલાકે સમસ્ત ઉમિયાનગર માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. તો આ કાર્યક્રમને માણવા મંદિરના મહંત હસમુખરાય નિમાવત દ્વારા સર્વે ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text