મોરબીમાં તા.14મીએ રાહત ભાવે નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

- text


મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા આગામી તારીખ 14 એપ્રિલને રવિવારે સવારે 8 થી 1 દરમિયાન મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે વિવિધ વસ્તુઓનું રાહત ભાવે વેચાણ કરવામાં આવશે.

નવરંગ નેચરલ કલબ દ્વારા આગામી તારીખ 14 એપ્રિલને રવિવારે દરેક જાતના ફૂલ-છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથથી ખાંડેલા પાવડર ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા, ઔષધ ચૂર્ણ, કાળી માટીના રસોઈના વાસણો, હાથથી બનાવેલા તાવડી, પાટીયા, જાળના કુંડ, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા, ફૂલછોડના કુંડા, ગાય આધારિત દેશી ખાતર રાહત ભાવે મળશે. દર મહિનાના બીજા રવિવારે આ સંસ્થા ખેડૂત હાટનું આયોજન કરે છે. વધુ માહિતી માટે પ્રમુખ વી. ડી. બાલા- 9427563898 અથવા લવજીભાઈ પ્રજાપતિ મોરબી- 9925369465નો સંપર્ક કરવા જણાવ્યું છે

- text

- text