- text
Wankaner: તાલુકાના માટેલ ગામે અવાર નવાર રાત્રે વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ગ્રામજનો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ અંગે ગ્રામજનોએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL)ને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનું ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે.
- text
માટેલ ગામમાં સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીનું મંદિર આવેલું હોય રાત્રે લાઈટ ફોલ્ટ થતાં હેરાનગતિ થઈ રહી છે. પીજીવીસીએલમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી તો તેઓએ કેબલ હાજરમાં નથી તેથી ફોલ્ટ વ્યવસ્થિત થતાં ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે ગ્રામજનોની માંગ છે કે માટેલ ગામને વીજ પુરવઠો વ્યવસ્થિત મળી રહે.
- text