મોરબીમાં સંત શિરોમણી દેશળભગતના 96મો નિર્વાણ દિન મહોત્સવ યોજાશે.

- text


મોરબી: શહેરના સમસ્ત ખવાસ (રજપુત) સમાજ દ્વારા ચૈત્ર સુદ 13ને 21 એપ્રિલ રવિવારના રોજ સંત શિરોમણી દેશળભગતના 96 મો નિર્વાણ દિન મહોત્સવ યોજાશે. શ્રી રામચંદ્રજીની કૃપાથી 96 મો નિર્વાણ દિન સમારોહ મોરબી-2 માં ધરમપુર રોડ પર આવેલા શ્રી પંચમુખી હનુમાનજી (મોટો હોલ) ખાતે ઉજવણી કરવામાં આવશે.

- text

સૌરાષ્ટ્ર સંતની ભુમિ છે. આ ધરતી પર અનેક વિરલ સંતો થઈ ગયા, તેમાના એક ઝાલાવાડની પવિત્ર ભૂમિમાં ધ્રાંગધ્રાના આંગણે શ્રી ખવાસ (રજપુત) જ્ઞાતિમાં પરમ પૂજય સંત દેશળભગત થયા. એવા વિરલ સંતની નિર્વાણ તિથી મોરબી પોતાની આગવી પરંપરા મુજબ વર્ષો વર્ષ ઉજવે છે. નોંધ: શ્રી સરસ્વતી સન્માન સમારંભ આ વર્ષે પણ યોજવાનો હોવાથી દરેક વિદ્યાર્થીઓએ તારીખ 30 જુલાઈ સુધીમાં જ્ઞાતિની વાડીએ મોબાઈલ નંબર લખી માર્કસીટ પહોંચાડવા જણાવાયું છે.

- text