તા.8 એપ્રિલે શનાળા ખાતે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા અમાસની ઉજવણી

- text


મોરબી : આગામી તારીખ 8 એપ્રિલને સોમવારના રોજ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી શ્રી પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા શનાળા ગામે શક્તિ માતાજીના દ્વારે ફાગણવદ અમાસની ઉજવણી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

દર વર્ષની જેમ આ વર્ષે પણ શનાળા સ્થિત શક્તિ માતાજીના દ્વારે પ્રજાપતિ જ્ઞાતિ બંધુઓ દ્વારા ફાગણ વદ અમાસની ઉજવણી નિમિત્તે ધ્વજા રોહણ તેમજ સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ધજા રોહણ સાંજે 4:00 કલાકે અને જ્ઞાતિ ભોજન પ્રસાદ સાંજે 6 કલાકે યોજાશે. તો સર્વે પ્રજાપતિ જ્ઞાતિને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text