વાંકાનેરની જેપુર શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પાસ કરી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની જેપુર પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરીને શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- text

જેપુર પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતાં કિશન વિક્રમભાઈ ચાવડા, સપના લાલજીભાઈ ચૌહાણ અને જલજ રમેશભાઈ પરબતાણીએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરીને શાળા, ગામ અને પરિવારનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત વાંકાનેર તાલુકાના અન્ય વિદ્યાર્થીઓ વૈશાલી મેરાભાઈ બાવળિયા (રાજસ્થળી પ્રાથમિક શાળા), રાધિકા રમેશભાઈ સરવૈયા (ગુંદાખડા પ્રાથમિક શાળા), જેનિલ નરેશભાઈ જગોદણા (વઘાસિયા પ્રાથમિક શાળા), ક્રિશા ઉમેશભાઈ પ્રમાણી (ભાટીયા સોસાયટી કન્યા પ્રાથમિક શાળા), ચેતન મોમભાઈ ડાભી (વરડુસર પ્રાથમિક શાળા), ધ્યેય ડાયાભાઈ પરબતાણી (નવા ધમલપર-2 પ્રાથમિક શાળા), પ્રિયાંશુ દિલીપભાઈ અણીયારીયા (કાછીયાગાળા પ્રાથમિક શાળા)એ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી.

- text