મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરાયું

- text


મોરબી : સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા પક્ષીઓને કાળઝાળ ગરમીમાં તરસ છીપાવવા માટે ઉપયોગી પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા મોરબીના શનાળાના ચિત્રા હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્યે 700 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ આજે શનિવાર નિમિત્તે સવારે 9 વાગ્યા થી 11-15 વાગ્યા સુધી ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાતાના સહયોગથી વડીલોને ચા-નાસ્તો કરાવાયો હતો. આ સેવાકિય પ્રોજેક્ટમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળના સભ્યો મહાદેવભાઈ ચિખલિયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, પી. એ. કાલરીયા, ગોરધનભાઈ ઘોડાસરા, નાનજીભાઈ મોરડીયા અને મણિલાલ કાવર તેમજ સેવાભાવી વ્યક્તિઓ પણ હાજર રહ્યાં હોવાનું ચિત્રા હનુમાનજી ધૂન મંડળના પ્રમુખ ટી.સી. ફુલતરીયાની યાદીમાં જણાવાયું છે.

- text

- text