Morbi: કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં 9 એપ્રિલ મોરબીમાં પાટીદારોનું મહાસંમેલન

- text


Morbi: પાટીદાર સમાજની દીકરીઓ અને માતા-પિતા અંગે વિવાદિત ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં આગામી તારીખ 9 એપ્રિલના રોજ મોરબીમાં પાટીદાર સમાજનું મહાસંમેલન મળશે.

કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં પાટીદાર સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ મોરબી શહેરમાં એક વિશાળ રેલી યોજવામાં આવી હતી અને કાજલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

પાટીદાર સમાજની માગણી છે કે, કાજલે જે નિવેદન આપ્યુ છે તે બદલ તે માફી માંગે. પાટીદાર સમાજે ગઇકાલે મોરબી તાલુકા કોર્ટમાં કાજલ વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

- text

કાજલ હિન્દુસ્તાની મામલે આજરોજ 2 બુધવારે મોરબી પાટીદાર સમાજની મહત્વની મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગમાં આગળની રણનીતિ ઘડવામાં આવી હતી અને કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં આગામી તારીખ 9 એપ્રિલ, મંગળવારે સાંજે 8 કલાકે મોરબીના બાપા સીતારામ ચોક ખાતે મહાસંમલેન બોલાવવામાં આવ્યું છે. આ મહાસંમેલનનું આયોજન મોરબી જિલ્લા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હોય મોટી સંખ્યામાં પાટીદારોને ઉમટી પડવા જણાવાયું છે.

- text