Morbi: સો-ઓરડી વિસ્તારમાં 17 એપ્રિલથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ 

- text


રામજી મંદિરના લાભાર્થે 17 થી 23 એપ્રિલ સુધી ચાલશે કથા

Morbi: મોરબીના સો-ઓરડી વોર્ડ નં-4 વિસ્તારમાં રામજી મંદિરના લાભાર્થે આગામી તારીખ 17 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના વોર્ડ નંબર-4ના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, સામાજિક કાર્યકર હરીભાઈ રાતડીયા, સમસ્ત સો-ઓરડી વોર્ડ નંબર-4 વિસ્તાર, ધુન મંડળ અને સામાજિક સંસ્થા દ્વારા રામજી મંદિરના લાભાર્થે 17 એપ્રિલ ને બુધવાર થી 23 એપ્રિલ ને મંગળવાર હનુમાન જયંતી સુધી મોરબીના સો-ઓરડી મેઈન રોડ પર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં દરરોજ બપોરે 2 થી 6 વાગ્યા દરમિયાન બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) વ્યાસપીઠ પર બિરાજી પોતાના મધુર અને સુરીલા કંઠથી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. પોથી યાત્રા 17 એપ્રિલના રોજ સાંજે 4 કલાકે રામજી મંદિરથી નીકળી કથા સ્થળ સુધી જશે. કથા દરમિયાન દરરોજ ધાર્મિક પાવનકારી પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે.

- text