મોઢામાં પડેલા ચાંદા ન મટતા રાજકોટના આધેડનો કોટડા નાયાણી ગામે આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામની સીમમાં વાડી ધરાવતા અને રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા સુરેશભાઈ મોહનભાઇ લીંબાસીયા ઉ.53નામના આધેડે ગત તા.28ના રોજ પોતાની કોટડા નાયાણી ગામે આવેલ વાડીએ જઈ ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે તેમના પુત્ર રવિભાઈએ જાહેર કર્યું હતું કે તેમના પિતાને મોઢામાં પડેલા ચાંદા મટતા ન હોય કંટાળી જઈ આત્મઘાતી પગલું ભર્યું હતું, ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અક્સમાતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text