મોરબીમાં પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી ત્રાસ આપતા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ

- text


મોરબી : મોરબી શહેરમાં જ માવતર ધરાવતી પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી પતિ સહિતના સાસરિયાઓ દ્વારા છેલ્લા નવ-નવ વર્ષથી સિતમ ગુજરાવામાં આવતા મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં ફારુકી મસ્જિદ પાસે પિતાના ઘેર રહેતી રજીયાબેન પરવેઝભાઇ મોગલ ઉ.28નામની પરિણીતાને વર્ષ 2014થી પતિ પરવેઝભાઇ અબ્દુલભાઇ મોગલ, સસરા અબ્દુલભાઇ હુશેનભાઇ મોગલ અને સાસુ સાહીદાબેન અબ્દુલભાઇ મોગલ રહે.સમસુદીનના બંગલાની બાજુમા, બોરીચાવાસ મોરબી વાળાઓ દ્વારા ચારિત્ર્ય ઉપર શંકા કરી કરીયાવર બાબતે મેણાટોણા મારી, મારકુટ કરી શારીરીક અને માનસીક ત્રાસ આપવામાં આવતા રજિયાબેને મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, આ કેસમાં પીઆઇ પી.એચ.લગધીરકા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

- text

- text