હળવદમાં સરદારધામ દ્વારા ૩૧મીએ યુવા સંવાદ કાર્યક્રમ 

- text


મોટીવેશન સ્પીકર શૈલેષભાઈ સગપરીયા યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન અપાશે 

મોરબી : સરદાર ધામ યુવા સંગઠન દ્વારા તા. ૩૧ માર્ચને રવિવારે સાંજે ૫ કલાકે આગમન પાર્ટી પ્લોટ, મોરબી ચાર રસ્તા પાસે હળવદ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે.

જેમાં ધોરણ ૧૦ પછી પાટીદાર સમાજના યુવા દીકરા અને દીકરીઓને કારકિર્દી અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમમાં સરદારધામ અમદાવાદના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયા અને મોટીવેશન સ્પીકર શૈલેષભાઈ સગપરીયા યુવાનોને માર્ગદર્શન આપશે. જે યુવા સંવાદ કાર્યક્રમનો પાટીદાર સમાજના દીકરા-દીકરીઓએ લાભ લેવા સરદારધામ દ્વારા આમત્રણ પાઠવ્યું છે

- text

- text