- text
મોરબી : મોરબીમાં સામાકાંઠે હાઉસિંગ બોર્ડમાં રામેશ્વર મંદિર પાસે આજે આખલા યુદ્ધ સર્જાયું હતું. જો કે આ આખલા યુદ્ધ મોરબી માટે તો સામાન્ય છે. કારણકે રોજ ક્યાંક ને ક્યાંક રસ્તે રઝળતા આખલાઓ વચ્ચે લડાઈ જામતી હોય છે. ત્યારે પાલિકા તંત્ર આ મામલે ગંભીરતા દાખવી કોઈ કાર્યવાહી કરે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.
- text
- text