કાજલ હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ કરેલા વાણી વિલાસ મામલે ઉગ્ર રોષ

- text


 

પાટીદાર અને કોંગ્રેસ યુવા આગેવાન મનોજ પનારા દ્વારા મોરબીમાં કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ

મોરબી : મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિષે સુરતમાં જાહેરમાં બેફામ વાણી વિલાસ કરનાર કાજલ હિન્દુસ્તાનીને માઈકાસુર ગણાવી પાસ અગ્રણી અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ મોરબી સીટી એ ડિવિઝનમાં જીરો નંબરથી ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે.

મોરબી પાસ અગ્રણી અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ જણાવ્યું હતું કે, કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ મોરબીની પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવા સુરતમાં સરાજાહેર જાહેર મંચ ઉપરથી અનાપ શનાપ બકવાસ કરતા આ મામલે તપાસ બાદ ઘટનાને તથ્યહીન ગણાવી મનોજ પનારાએ મોરબી સીટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરી છે.

વધુમાં મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાનીને માઈકાસુર ગણાવી તમામ પાટીદારોને કોઈપણ કાર્યક્રમમાં આ વિવાદિત મહિલાને ન બોલાવવા તેમજ આગામી સમયમાં ગુજરાત હાઇકોર્ટમાં પણ કાજલ વિરુદ્ધ દાદ માંગતી અરજી કરવામાં આવનાર હોવાનું જણાવી મોરબીની પાટીદાર દીકરીઓ વિશે ખરાબ ટિપ્પણી મામલે જો હજુ પણ કાજલ માફી નહીં માંગે તો ગામેગામથી ફરિયાદ નોંધાવવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text