કવિ, લેખક કેમ બનવું ? મોરબીની ઝીકયાળી શાળામાં માર્ગદર્શક સેમિનાર યોજાયો

- text


મોરબી : સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન વર્ષ ૨૦૨૩-૨૪ માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ની જોગવાઈ મુજબ ધો ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને પ્રિ વોકેશનલ એજ્યુકેશન NCERTની ગાઇડલાઈન મુજબ મળી રહે તે હેતુથી ‘બેગલેસ ડે’ અંતર્ગત મોરબીની ઝીકયાળી પ્રાથમિક શાળામાં ઇતિહાસકાર, કવિ, લેખક બનવા માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ સેમિનારમાં લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે અવલોકન શક્તિ વિકસાવવી વગેરે બાબતે મોરબીના યુવા કવિ જલરૂપ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પર્યાવરણ પરિવારના કવિ જલરૂપ દ્વારા દેશી રાજા રજવાડાંઓના ફોટાઓનું પ્રદર્શન શાળામાં ગોઠવવામાં આવ્યું હતું. જેથી શાળાના આચાર્ય પ્રકાશભાઈ કુબાવતે કવિ જલરૂપનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text