મોરબીમાં 15 માર્ચે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની મહાસભા યોજાશે

- text


મોરબી : મોરબીમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ દ્વારા તા. 15 માર્ચના રાત્રે 8:30 કલાકે બાપા સીતારામ ચોક, રવાપર રોડ ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસભામાં ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા પોતાની આગવી શૈલીમાં હાસ્યરસ પ્રસ્તુત કરશે. આ સભાનો મુખ્ય હેતુ અયોધ્યા ખાતે રામચંદ્રજીના દર્શન કરવા જતાં પાટીદાર સમાજના લોકોને રહેવા-જમવાની તકલીફ ન પડે તે માટે અયોધ્યા ખાતે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની જગ્યા બનાવવાનો છે. તેથી મહાસભામાં સમાજના દરેક લોકોએ પરિવાર સાથે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text