મોરબીના રફાળેશ્વર ખાતે શિવ ઉત્સવ મેળાનો પ્રારંભ

- text


સાધુ સંતોના હસ્તે મેળો ખુલ્લો મુકાયો : શિવરાત્રીના આખો દિવસ અને મોડી રાત સુધી મેળો ચાલુ રહેશે

મોરબી : મોરબી નજીક આવેલ રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે આ મેળાનું નામ શિવ ઉત્સવ મેળો રાખવામાં આવ્યું છે જેનો આજે સાંજે સાધુ સંતોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- text

આ મેળો શિવરાત્રીના આગલા દિવસથી લઈ શિવરાત્રીના દિકસે આખો દિવસ અને મોડી રાત સુધી ચાલુ રહેશે. આ મેળામાં નાના બાળકોથી લઈને મોટેરાઓ માટે 15 થી વધુ અવનવી ફજતો અને રામકડાના સ્ટોલો પણ છે. લોકો શિવરાત્રી નિમિતે રફાળેશ્વર મહાદેવના દર્શન કરી અને મેળાને માણે છે.

- text